ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતા આઇ. કે. જાડેજાને હાર્ટ અટેક આવતા સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આઇ. કે. જાડેજાની તબિયત સ્થિર હોવાનો ડોક્ટરોએ મત વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
આઈ.કે. જડેજા ને ધ્રાંગધ્રા માં રાત્રે દુ:ખાવો થતા ત્યાંની હોસ્પિટલ થી સુરેન્દ્રનગર રીફર કર્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી અને નળી બ્લોકેજ હોવાનું તબીબોએ જણાવતાં તાત્કાલિક યુ.એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા હતા હાલ તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓની તબિત હાલ સુધારા પર છે.
