અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાના પાર્થિવ દેહને ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ લવાયો છે, જ્યાંથી તેમના વતન ભિલોડા તાલુકાના ચુડાસણ ખાતે લવાશે.
ગઇકાલ 14 માર્ચના રોજ પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના ધારાસભ્યનું 69 વર્ષની વયે નિધન થયું હતું, જેના સમાચાર મળતા જ સમગ્ર રાજ્ય તેમજ ભિલોડા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.





