અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારા નું નિધન થત૨ં નશ્વર દેહને તેમના માદરે વતન ચૂનાખાણ લાવવામાં આવ્યો છે. ડૉક્ટર અનિલ જોષિયારાના નશ્વરદેહને વહેલી સવારે ચાર્ટર્ડ પ્લેન મારફતે ચેન્નાઇ થી અમદાવાદ ખાતે લવાયો હતો જ્યાં અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે તેઓના માદરે વતન ચૂનાખાણ ખાતે લાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો, સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ પણ ડૉ. અનિલ જોષીયારા ના વતને પહોંચ્યા છે
Advertisement
Advertisement