37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ડો.અનિલ જોષિયારાના નિધનને લઇને શામળાજી સ્વયંભૂ બંધ

ડો.અનિલ જોષિયારાના નિધનને લઇને શામળાજી સ્વયંભૂ બંધ

0
386

ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડોક્ટર અનિલ જોષિયારાના નિધનને લઇને સમગ્ર ભિલોડા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે ત્યારે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.

સુપ્રસિદ્ધ યાત્રધામ શામળાજીમાં વેપારીઓએ બંધ પાળી ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. લોક લાડીલા અને આદિવાસી સમાજના તેમજ સમગ્ર પંથકના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ડો.અનિલ જોષીયારાનું નિધન થતા શામળાજી પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ છે અને તમામ વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!