પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોત સિંગ સિદ્ધુએ રાજુનામુ આપ્યું છે. પંજાબ કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ નવજોતસિંગ સિદ્ધુએ રાજુનામું કોંગ્રેસ હાઈ કમાન્ડને મોકલી આપ્યું હોવાની વિગતો મળી છે. આ સાથે જ રાજીનામું ટ્વીટર પર પોસ્ટ કરીને પણ જાહેરાત કરી દીધી છે.
પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખના રાજીનામાં માગ્યા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર મળી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત હાર થતાં કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તનનો દોર શરૂ થયો છે. પાર્ટીના સુપ્રીમો સોનિયા ગાંધીએ આ તમામ પાચંયે રાજ્યોના પ્રદેશ પ્રમુખોના રાજીનામાં માંગી લીધા હતા.