નવરાત્રીમાં શક્તિની આરાધના સાથે સાથે ગરબાનું ઘરે ઘરે સ્થાપનનું અનેરું મહત્વ છે. જીલ્લામાં ઠેર ઠેર નવરાત્રી પર્વની સાથે માતાજીની ગરબી સ્થાપી ઘરે દસ દિવસ સુધી અખંડ જ્યોત જલાવી નવરાત્રી પર્વ પૂર્ણ થતા મોડાસાના ઓધારી માતાજીના મંદિર પરિસરમાં ગરબા વળાવતા પરિસર દીવડા થી ઝગમગી ઉઠ્યું હતું મંદિરના પૂજારી અતુલ જોશીના જણાવ્યા અનુસાર પરિસરમાં ગરબા અને દીવડાઓ થી મંદિરમાં દૈદિપ્યમાન માહોલ સર્જાવાની સાથે પ્રજાજનો ભક્તિભાવ પૂર્વક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
Advertisement
Advertisement