33 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી: વાંકાનેર ગામની સીમમાં કુવામાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળતા ચકચાર


ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સીમ વિસ્તારમાં ખેતરના કુવામાંથી અજાણ્યા યુવક અને યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું

Advertisement

૨૧મી સદીના હાઈટેક યુગમાં મનુષ્યની સહન શક્તિ ધટતા આત્મહત્યાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મૃતદેહો મળવાનો સીલસીલો યથાવત રહેતા જાગૃત પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Advertisement

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ ચંદુભાઈના જણાવ્યા મુજબ વાંકાનેર ગામના સીમ વિસ્તારમાં આવેલ એક ખેતરના પાણી ભરેલા કુવામાંથી બે અજાણ્યા યુવક અને યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.સમાચાર વાયુવેગે પ્રસરતા રાત્રી દરમિયાન સીમ વિસ્તારમાં ધટના સ્થળ પર લોકોના ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. અજાણ્યા મરણ પામનાર દુર્ગંધ મારતા મૃતદેહો મળતા ચારેક દિવસ અગાઉ આત્મહત્યાનો બનાવ બનેલ હશે તેવું અનુમાન છે.કોઈ પણ અગમ્ય કારણોસર એક અજાણ્યો છોકરો આશરે ઉંમર વર્ષ – 17 અને એક છોકરીની આશરે ઉંમર વર્ષ – 16 કુવામાંથી મળતા વાંકાનેર ગામના ખેડૂત દિનેશભાઈ ધુળાભાઈ પટેલએ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ ધટના સ્થળે પહોંચી હતી.મોડાસાથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી બંનેના મૃતદેહ બહાર કઠાવી પી.એમ અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!