નસવાડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય રેલી કાઢી વિરાટ ત્રિશુલ દીક્ષા સમારોહ નો યોજાયો શ્રીરામના જય ઘોષ સાથે 500 થી વધુ લોકો રેલીમાં જોડાયા એસ.બી.સોલંકી વિદ્યામંદિર ના કમ્પાઉન્ડ માં યુવાનો ને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી
નસવાડીના જીન કમ્પાઉન્ડ થી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નસવાડી ના મુખ્ય માર્ગો પર રેલી કાઢીને નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિર ઉપર પહોંચી હતી જયારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો છોટાઉદેપુર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દીપકભાઈ ભાઈ અને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળના હોદેદારો અને કાર્યકતાઓ સાધુ સંતો હાજર રહી યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી જ્યારે ઘણા સમયથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં કલાકાર ઉર્વી રાઠવા અને દિલીપ તડવીએ ભગવાન રામ અને ભગવાન હનુમાનના ભક્તિ ભર્યા ગીતો ગાયા હતા
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર