28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડીની આનંદપુરી પ્રા.શાળાના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

છોટાઉદેપુર: નસવાડીની આનંદપુરી પ્રા.શાળાના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

0
203

નસવાડી તાલુકા ની આનંદપુરી પ્રા શાળા ના શિક્ષક રાઠવા જેસીંગ ભાઈ નો વિદાય સંભારભ યોજાયો. મોટી સંખ્યા માં શિક્ષકો અને ગ્રામ જનો હાજર રહ્યાં.

પ્રા વિગતો અનુસાર. નસવાડી તાલુકા ની ધોરણ 1 થી 5 ની આનંદપુરી પ્રા શાળા માં છેલ્લા 22 વર્ષ થી એકજ જગ્યા પર ફરજ બજાવતા શાળા ના મુખ્ય આચાર્ય જેસીંગ ભાઈ હીરાભાઈ રાઠવા શિક્ષક ની નોકરી માં વય નિવૃત્ત થતા શાળામાં વિદાઈ સંભારભ રાખવામાં આવ્યો. હતો જેમાં આનંદપુરી ના તમામ ગ્રામ જનો શિક્ષક ને વરરાજા ની જેમ ત્યાર કરી ગામ માં ઘોડા પર બેસાડી ને વરરાજા ની જેમ વરઘોડો આખા ગામ માં ફેરવ્યો શિક્ષક ના વરઘોડામાં શાળા ના બાળકો પણ હર્ષ ઉલ્લાસ થી જોડાયા હતા. જ્યારે તાલુકા ની મોટા ભાગ ની શાળા ઓના શિક્ષકો પણ સાહેબ ને પુષ્પ ગુંછ અને શાલ ઓઢાળી ને સાહેબ ને હસતાં મોઢે વિદાઈ આપી આ કાર્યક્રમમાં ગામ ના સરપંચ ગંગા બેન બાલુભાઇ ભીલ થતા પંચાયત ના તમામ સભ્યો તલાટી કમ મંત્રી રમેશભાઈ જયારે શિક્ષકો માં ટીપીઇ ઑ હિતેન્દ્ર સિંહ ઝાલા શિક્ષક મંડળી ના પ્રમુખ દિનેશભાઇ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ પરસોતમ રાઠવા સાથે મોટી સંખ્યા માં શિક્ષકો હાજર રહ્યાં હતાં.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!