ગુજરાત રાજ્ય માં 108 એમબ્યુલન્સ નું સંચાલન સારી રીતે થઈ રહ્યું છે અને દરેક ને સેવા પૂરી પાડી રહેલ છે. ત્યારે અરવલ્લી જિલ્લા માં પણ 108 સતત અવિરત પણે દરેક વ્યક્તિ ને સેવા આપતી રહી છે. કોરોના કાળ દરમિયાન અરવલ્લી જિલ્લા માં ચાલતી આં 108 નાં કર્મચારીઓ દિવસ રાત જોયા વગર 24 કલાક સેવા મા હાજર રહેલ છે . અરવલ્લી જિલ્લા માં હાલ 13 જેટલી 108 કાર્યરત છે.અરવલ્લી જિલ્લા માં 108 દ્ધારા નોર્મલ દિવસો માં 45 થી 50 ઈમરજન્સી હેન્ડલ કરવામાં આવી રહી છે. જ્યારે દિવાળી જેવા તહેવાર દરમિયાન આં ઈમરજન્સી માં 40 થી 50 ટકા નો વધારો જોવા મળતો હોય છે. જેમાં નીચે મુજબ નાં બનાવ ની ઈમરજન્સી કોલ માં વધારો જોવા મળે છે.
રોડ અકસ્માત
ફટાકડાથી દાઝી જવાના બનાવ
ફૂડ પોઇજનીંગ
શ્વાસ ને લગતી બીમારી.
આ વખતે પણ દિવાળી તહેવાર દરમિયાન ઈમરજન્સી માં વધારો થાય તો તેની સામે સેવા મળી રહે તે માટે તેના અગમ ભાગરૂપે અરવલ્લી જિલ્લા માં 108 ના મેનેજમેન્ટ ની પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને 108 સુપરવાઈઝર ભૂપેન્દ્ર ચૌધરી જણાવે છે કે અત્યાર નજીક માં આવી રહેલ દિવાળી તહેવાર દરમિયાન 108 દ્વારા સારી રીતે જ કામ ચાલતું રહે તે માટે 108 નાં તમામ કર્મચારીઓ ની રજા મોફૂક રાખવામાં આવી છે.અને 108 નો સ્ટાફ કોઈ પણ પરિસ્થિતિ ને પોહચી સકે તેટલો સક્ષમ હોય જ છે.