26 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines ખોડલધામના ચેરમેન નરેશ પટેલની PM મોદી સાથે મુલાકાત, શું રાજકારણમાં થશે મોટી...

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની PM મોદી સાથે મુલાકાત, શું રાજકારણમાં થશે મોટી ઉથલ-પાથલ..!!

0
217

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય આગેવાનોની બેઠકોનો દોર શરૂ થયો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પહેલા કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી હતી ત્યારે હવે પીએમ મોદી સાથે મુલાકાત કરતા ચૂંટણી પહેલા નવા-જુનીના એંધાણ સર્જાઈ રહ્યા છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે આ વચ્ચે ખોડલધામના આગેવાન નરેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આગામી ચૂંટણીલક્ષી તથા પાટીદાર ફેક્ટરને આવરી લેતો મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો છે ત્યારે નરેશ પટેલની પીએમ મોદી સાથે મુલાકાતથી અનેક ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યું છે.  પાટીદાર નેતા તથા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શનિવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ખોડલધામમાં આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!