39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines દિવાળીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી, લોકોના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

દિવાળીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી, લોકોના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

0
182

દિવાળીના પર્વને લઇને સમગ્ર દેશમાં તહેવારોને ખુશીઓથી ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને  દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે, દિવાળીનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે જીવનમાં આનંદનો રંગ પૂરી દે છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદ્ભુત હોય.

 

વડાપ્રધાન મોદીએ રામલલ્લાના દર્શન કર્યા પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતિકાત્મક રૂપે રાજ્યભિષેક કર્યા હતા. ત્યારપછી એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કણ કણમાં ભગવાન શ્રી રામના દર્શન થાય છે. તેમણે વધુમાં કહ્યું કે અયોધ્યાની રામલીલા, સરયૂ આરતી, દીપોત્સવના માધ્યમથી આ દર્શન વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!