દિવાળીના પર્વને લઇને સમગ્ર દેશમાં તહેવારોને ખુશીઓથી ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે, દિવાળીનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે જીવનમાં આનંદનો રંગ પૂરી દે છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદ્ભુત હોય.
Wishing everyone a Happy Diwali. Diwali is associated with brightness and radiance. May this auspicious festival further the spirit of joy and well-being in our lives. I hope you have a wonderful Diwali with family and friends.
Advertisement— Narendra Modi (@narendramodi) October 24, 2022
Advertisement
વડાપ્રધાન મોદીએ રામલલ્લાના દર્શન કર્યા પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતિકાત્મક રૂપે રાજ્યભિષેક કર્યા હતા. ત્યારપછી એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કણ કણમાં ભગવાન શ્રી રામના દર્શન થાય છે. તેમણે વધુમાં કહ્યું કે અયોધ્યાની રામલીલા, સરયૂ આરતી, દીપોત્સવના માધ્યમથી આ દર્શન વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે.