અરુણાચલ પ્રદેશના સૌથી જૂના માર્કેટમાં મંગળવારે આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછી 700 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. ઇટાનગર નજીક નાહરલાગુન ડેલી માર્કેટમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં લગભગ 700 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી, પોલીસે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સવારે 4 વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે આ બજાર રાજ્યનું સૌથી જૂનું બજાર છે, જે રાજધાની ઇટાનગરથી લગભગ 14 કિમી દૂર ફાયર સ્ટેશન અને નાહરલાગુન પોલીસ સ્ટેશન પાસે આવેલું છે.પોલીસે જણાવ્યું કે આગ લાગવાના કારણ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. એવી આશંકા છે કે દિવાળી માટે ફટાકડા કે દીવા પ્રગટાવવાને કારણે આગ લાગી હતી, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.જણાવવામાં આવી રહ્યું છે કે આગની ઘટનાની જાણકારી મળતા જ ફાયર ફાઈટર્સને તેની જાણકારી આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાયટરોએ જણાવ્યું હતું કે દુકાનો વાંસ અને લાકડાની હોવાથી અને બજાર સૂકા માલથી ભરેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.