ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપ દ્વારા મોટાભાગના ઉમેદવારોની પસંદગી પણ થઈ ચૂકી છે. આવામાં વાઘોડિયાના દબંગ નેતા મધુશ્રીવાસ્તવનું પત્તુ કપાઈ જતા તેમને ભાજપને રામ…રામ.. કરી દીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું, અપક્ષ જીત્યો ત્યારે ભાજપે સામેથી મને બોલાવ્યો હતો. હું કઈ એમને મળવા નહોતો ગયો. હવે એકવાર પાર્ટી છોડી દીધી તો ફરીથી નહીં જોડાઉ આ મર્દની જુબાન છે. આની સાથે જ તેમણે ચૂંટણીલક્ષી પોતાની રણનીતિ પણ છતી કરી હતી. ચલો વિગતવાર નજર કરીએ…
તેમણે એમપણ કહ્યું કે, તેઓની ટિકિટ કપાયા પછી ઉચ્ચ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે મુલાકાત કરશે, પણ હજુ સુધી તેમને કોઇ મળવા આવ્યું નથી, આખરે કાર્યકરો સાથે મુલાકાત કરીને તેમણે ભાજપને કહી દીધા રામ..રામ..