કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં આતંકી ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને નોકરીના નિયુક્તિ પત્ર એનાયત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી શેર કરતા જણાવ્યું કે, બહાદૂર જવાનોના પરિવારજનોને નોકરીના નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરની સુરક્ષા કરવા અને તેના માટે સમર્પણ અને તેમની વીરતના પર સમગ્ર દેશને ગૌરવ છે. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના તમામ પોલિસ કર્મચારી તેમજ તેમના પરિવારજનોના કલ્યાણ માટે કટિબદ્ધ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદ પરિવારજનોને નમન કરીને શહીદ વીર જવાનોને વંદન કર્યા હતા.
Advertisement