32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

ઝૅલેન્સ્કીએ પુતિનને કહ્યું – “શાંતિ માટે વાત કરવાનો આ ઉચિત સમય”


યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભિષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝૅલેન્સ્કીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેલેસ્કીએ શનિવારે કહ્યું કે, મોસ્કો સાથે સાર્થક વાતચીત માટેનો સમય છે. રશિયા પાસે તેની ભૂલથી થયેલા નુકસાને ઓછો કરવાની એકમાત્ર તક છે.

Advertisement

એક વીડિયોમાં સંદેશમાં ઝૅલેન્સ્કીએ કહ્યું કે, “શાંતિ પર સાર્થક વાતચીત, યુક્રેનની સુરક્ષા માટે અને રશિયાને તેની ભૂલથી થયેલા નુકસાનને ઓછો કરવા માટેની એકમાત્ર તક છે. વાતચીત કરવાની અને મુલાકાત કરવાની એકમાત્ર તક છે”

Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુદ્ધનીને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પાટા પર લાવતા અનેક પેઢી લાગી શકે છે.

Advertisement

તેમણે એમ પણ ઉમેર્યું કે મારિયુપોલમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જ્યાં એક થિયેટરના નીચે કાટમાળમાં ફસાયેલા નાગરિકોની શોધખોળ ચાલું છે. અત્યારસુધીમાં 130 લોકોને બચાવી લેવાયા છે, જોકે એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે, કેટલા લોકોના મોત નિપજ્યા છે. મારિયુપોલમાં આવેલા થિયેટરના કાટમાળમાં સેંકડો નાગરિકો ફસાયા હોવાની આશંકા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!