રાજ્યમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લીધે સમગ્ર ખાખી પર દાગ લાગતા રહે છે બુટલેગરો સાથે ભાઈબંધી હોય કે પછી અસામાજીક તત્ત્વો સાથે મીલીભગત થી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે યાર્ડમાંથી ચોરી કરી ઓઇલ અને લોંખડના સળિયા સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ૯ આરોપીઓની ધરપકડ કરી હતી નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીનો મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવતા રાજ્ય પોલીસ વડા ચોકી ઉઠ્યા હતા અને નારોલ પીઆઈ અને બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડાંમાં ખળભળાટ મચ્યો હતો.

ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એસ.પટેલ, પીએસઆઈ એસ.વી.પરમાર અને આર.આર.આંબલીયાને તાત્કાલીક અસરથી ફરજ મુક્ત કરી દીધા હતા રાજ્ય પોલીસવડાએ લાલ આંખ કરતા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો .છે
