30 C
Ahmedabad
Monday, May 29, 2023

પેટ્રોલ પંપ સંચાલકની બેદરકારી : પેટ્રોલપંપ પર સળિયા કાપતા આગ લાગતા અફરા-તફરી, પેટ્રોલ ભરેલ ટેન્કરને હટાવી લીધું નહીં…તો


પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેંકરમાંથી ટાંકીમાં ઇંધણ ઠાલવતા સમયે આગ લાગી હોત તો બહુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત..!!

Advertisement

મોડાસા શહેરના ચાર રસ્તા પર પેટ્રોલપંપ સંચાલકની બેદરકારીના પગલે ગમે તે ઘડીએ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પેદા થઇ છે એક બાજુ પેટ્રોલપંપનું ધમધોકાર વેચાણ થઇ રહ્યું છે બીજીબાજુ પેટ્રોલપંપ પર સમારકામ ચાલતું હોવાથી સમારકામ દરમિયાન આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી પેટ્રોલપંપ પર ઉભું રહેલું ઇંધણ ભરેલ ટેંકર ચાલકે સમયસર હટાવી લેતા ટેંકર આગમાં સપડાતા બચી ગયું હતું કર્મચારીઓ સ્થાનિક લોકો અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો સતત લોકોની અવર-જવર વિસ્તારમાં મોટી દુર્ઘટના અટકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement

મોડાસા ચાર રસ્તા પર સતત ભારે ભીડ રહે છે પેટ્રોલપંપ આજુબાજુમાં અનેક દુકાનો આવેલી છે સામે સ્ટેટ બેંક અને પાછળ હંગામી બસ સ્ટેન્ડ હોવાથી પેટ્રોલપંપ વિસ્તાર લોકોની અવર-જવરથી 24 કલાક ધમધમતો રહે છે પેટ્રોલપંપ પર નવીનીકરણ ચાલુ હોવા છતાં લોકોના જીવના જોખમે પેટ્રોલપંપ ધમધમી રહ્યો છે રવિવારે રાત્રે નવ વાગ્યાના સુમારે લોંખડ કાપવાનું કામકાજ ચાલુ હતું ત્યારે તણખલા ઝરતા નજીકમાં રહેલા રૂના ગાદલામાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પેટ્રોલપંપ ઇંધણ ભરેલ ટેંકરના ચાલકે સમયસૂચકતા વાપરી ટેંકર હટાવી લીધું હતું પેટ્રોલપંપ પર આગ લાગતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!