36 C
Ahmedabad
Friday, March 29, 2024

મહિસાગરના લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓ ભરેલ ટેમ્પો પલટી જતાં 7 મોત


બુધવારનો દિવસ ગુજરાતમાં શોકનો દિવસ રહ્યો હતો અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં બે ગમખ્વાર જેમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો લુણાવાડામાં  ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જ્યાં ટેમ્પોમાં જઈ રહેલા જાનૈયાઓ અકસ્માતનો ભોગ બન્યા હતા જ્યારે 30 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યારે વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ગોધરા રીફર કરાયા હતા.

Advertisement

તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કાર અને  બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાંને લઇને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!