32 C
Ahmedabad
Tuesday, April 16, 2024

રાજ્યકક્ષાનો આદિજાતિ મહોત્સવ-2023 અરવલ્લીના ભિલોડા ખાતે યોજાશે, તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં


રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા “આઝાદીના અમૃત મહોત્સવ “અંતર્ગત આયોજીત ગુજરાત રાજ્યનો ૨૯મો આદિજાતિ મહોત્સવ -2023,તારીખ 4 – 5 માર્ચ 2023 ના સમય રાત્રે 07.00 કલાકે, એન.આર.એ વિદ્યાલય ભિલોડા ખાતે યોજાશે.આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સ્થળમુલાકાત કરવામાં આવી અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. મોડાસા પ્રાંત અધિકારીની સાથે પોલિસ અધિકારીઓ પણ જોડાયા હતા.

Advertisement

પ્રાકૃતિમાં રમતા અને ઉછરતા આદિવાસી લોકજીવનની પરંપરાઓ તેમની ભાતીગળ સંસ્કૃતિ અને સમાજ જીવનને સદીઓથી આગવી ઓળખ મળેલી છે. આવી આદિજાતિ સંસ્કૃતિની ધરોહરને ધબકતી રાખવા રાજ્ય સરકાર દ્વારા માનનીય કેબિનેટ મંત્રી ર્ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અંબાજી થી લઈને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના 14 જિલ્લાઓ તથા અન્ય રાજ્યના ૭૦૦થી વધુ કલાકારો તેમની આગવી અનેરી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ પરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્ય ની અનોખી પરંપરાની ઝાંખી કરાવશે.રાજ્યકક્ષાના મહોત્સવમાં અરવલ્લી જિલ્લાવાસીઓને ઉત્સાહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!