અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પંડિત દિનદયાળ ઔષધાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે… મોડાસાના ડુંગરી વિસ્તારમાં ઔષધાલય શરૂ કરવા માટે પાલિકાના હોદ્દેદારો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા.
મોડાસા તાલુકા માં પંડિત દિનદયાળ ઔષધાલય નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં નગરપાલિકા પ્રમુખ જલ્પાબહેન ભાવસાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અર્બન મેડિકલ ઓફિસર તાલુકા સુપરવાઈઝર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી રીબીન કાપીને પંડિત દીનદયાળ ઔષધાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું .આ ઔષધાલય માં મેડિકલ ઓફિસર દ્વારા રોજ સાંજે 5.00 થી 9.00 કલાક સુધી મફત પ્રાથમિક સારવાર કરવામાં આવશે. જે અંગેની નગરપાલિકા પ્રમુખ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દ્વારા લોકો ને માહિતી આપવામાં આવી હતી.