શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યારે પરીક્ષાઓ યોજાતી હોય છે, આ માટે નવા વર્ષમાં નવા ધોરણ માં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવતી હોય છે, જેથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ અને અભ્યાસ માટે રૂચિ વધે. આવો જ એક કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે યોજાયો હતો, આ કાર્યક્રમ અનોખી રીતે યોજાયો હતો, જેમાં માતૃ-પિતૃ પૂજન થકી વિદાય સમારોહ યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.
માલપુર તાલુકાના નવાઘરા પ્રાથમિક શાળા માં ધોરણ 8 નો વિદાય સમારંભ અને માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બીઆરસી કો. ઓર્ડિનેટર માલપુર, ગામના સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ વગેરે મહિમાનો ઉપસ્થિત રહી ઉપરોક્ત કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને સુભાષિશ પાઠવ્યા હતા.