સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બહુચર્ચિત RRRની ટિમ ના ડાયરેક્ટર એસ એસ આર મૌલિ,સાઉથની મુવીના સુપરસ્ટારજુનિયર જુનિયર એન ટી આર અને રામ ચરણે મુલાકાત લીધીહતી.સરદાર ની વિશાળ પ્રતિમા ના દર્શન કરીને અભિભૂત થયાં હતા.
ડાયરેક્ટર એસ એસ આર મૌલિએ જણાવ્યું હતું કે મુવીના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને અમે પ્રભાવિત થયા છીએ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સરદાર પટેલ પર ફિલ્મ બનાવવાનો મોકો મળશે તો જરૂર બનાવીશું
સુપર સ્ટાર જુનિયર જુનિયર એન ટી આર અને રામ ચરણે અહીંયા ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.તેમણે સરદાર પટેલ ના મૂલ્યો વિષે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે સરદાર પટે ના દર્શન કરવા હોય તો માથું ઊંચું કરીને જોવા પડે છે. તેમના દર્શન કરવાથી અમારી એનર્જી વધી ગઈ છે. અને અમે અભિભૂત થયા છીએ.સર ઉઠાકે દેખના હૈ ઔર સર ઉઠાકે જીના હૈ. સરદાર પટેલ પાસેથી આપણેઆ શીખવાનું છે.તેમણે સરદાર પટેલને લોખંડી પુરુષ ગણાવ્યા હતા. આ વિકાસ પુરુષ પાસેથી આપણે પ્રેરણા લેવા જેવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું