અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા મનહરસિંહ પરમારને બાયડ શહેરમાંથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ધનસુરાના કરોલી ગામનો મનહરસિંહ મોહનસિંહ પરમાર કોંગ્રેસનો અગ્રણી હોવાથી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે
અરવલ્લી એસઓજી પીએસઆઈ ચેતનસિંહ.એફ રાઠોડ અને તેમની ટીમે બાયડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ધનસુરા તાલુકાનો કરોલી ગામનો મનહરસિંહ મોહનસિંહ પરમાર નામનો શખ્સ સામે ત્રણ વર્ષ અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધાયેલ હોવાનો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો રહે છે અને હાલ બાયડ બજારમાં દાળબાટી નજીક ઉભો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે સ્થળ પર ત્રાટકી કોર્ડન કરી મનહરસિંહ પરમારને ઝડપી પાડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
