યુવરાજસિંહ સામે કેસ નોંધી ધરપકડ કરી તેમના મળતીયાઓની પણ ધરપકડનો દોર ચાલી રહ્યો છે જેના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. તમને જણાવી દઈએ કે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે. અરવલ્લી જીલ્લા આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજ્યને મદદ કરવાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણનો માર્ગ છોડવા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવેની માંગ કરી હતી
જેમાં આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા રાજ્ય ટીમના પ્રદેશ સહ મંત્રી જયદીપસિંહ ચોહાણ અરવલ્લી જિલ્લા પ્રભારી રૂપશીહભાઈ ભગોરા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર અરવલ્લી જીલ્લા માયનોરેટીપ્રમુખ ઉસ્માન લાલા , હિરેન જોષી, મહિન્દ્ર ભાઈ, પ્રેમાસિહ કરછવાહા ,વિજયભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ બંરડા , જનકભાઈ પરમાર, રણછોડભાઈ નિનામા, વિજયભાઈ ચમાર, સેકાભાઈ પ્રજાપતિ, ગિરીશભાઈ નિનામા, શંકરભાઈ બંરડા ની આગેવાની હેઠળ તથા અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા