30 C
Ahmedabad
Monday, March 17, 2025

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ના ચિઠોડા લોકફાળાથી નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ


વિજયનગર તાલુકાના ચિઠોડા ખાતે આજરોજ લોકફાળાથી નવનિર્મિત ચિઠોડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.ચિઠોડા પંથકના વેપારી,સરપંચો,આગેવાનો અને નાગરિકોના સ્વૈચ્છિક ફાળામાંથી ચિઠોડાનું આ પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા ઈડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, પો.સ.ઇ મહેન્દ્રભાઈ પરાડીયા ઉપરાંત ચિઠોડા આસપાસના સરપંચો, આગેવાનો અને નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

લલિત ડામોર, સાબરકાંઠા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!