27 C
Ahmedabad
Saturday, April 20, 2024

એક દિવસના ઉપવાસ આંદોલન બાદ વિજયનગરના અટવાયેલા એસટી ડેપોના પ્રશ્નને ઉકેલવા આખરે ધારાસભ્યએ આગેવાનો સાથે વાટાઘાટો આરંભી


તાલુકા પંચાયત હોલમાં તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જમીન મેળવવા તજવીજ

Advertisement

વિજયનગર તાલુકા મથકે એસટી બસ ડેપોની ટલ્લે ચડેલી માંગણીને વાચા આપવા તાજેતરમાં પાલ ખાતે શહીદ વન પાસે સ્થાનિકોને સામુહિક ઉપવાસ આંદોલન બાદ આજરોજ આ વિસ્તારના ધારાસભ્ય સફાળા જગ્યા હતા અને તમામ આગેવાનો સાથે વિજયનગર તાલુકા પંચાયત હોલમાં બેઠક કરી અટવાયેલા એસટી ડેપોના પ્રશ્નને ઉકેલવા વાટાઘાટો કરી હતી.

Advertisement

વિજયનગરમાં લાખ પ્રયત્નો છતાં બસ ડેપો ન બનવાનું મુખ્ય કારણ આ માટે જરૂરી જમીન સંપાદનનો જ પ્રશ્ન હોઈ એ માટે શુ થઈ શકે એની ચર્ચા બેઠકનો મુખ્ય સુર હતો.ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં આજે મળેલી આ બેઠકે વિજયનગરને કોઈપણ ભોગે એસટી ડેપો મળે એ દિશામાં આગળ વધવા નિર્ધાર કરવામાં આવ્યો હતો જેમાં વિજયનગરના તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ આ સંયુક્ત બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. સૌએ એકી અવાજે ડેપો માટે આગળ વધવા નક્કી કર્યું હતું.વિજયનગરમાં ક્યાં જગ્યા ઉપલબ્ધ થઈ શકે એમ છે એ માટે સ્થળ નિરીક્ષણ પણ સૌએ સાથે કરી તે બસ સર્વાનુમતે આ પ્રશ્ન ઉકેલવા પ્રયત્નશીલ રહેવા ચર્ચા કરવામા આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!