27.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત સાબરકાંઠા: વિજયનગરના ભિલોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર

સાબરકાંઠા: વિજયનગરના ભિલોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર

0
262

આજે ઓચિંતા વાવાઝોડાને કારણે વિજયનગર ભિલોડા રોડ ઉપર બિલાડીયા અને દંતોડ વચ્ચે પર બાવળનું ઝાડ ધરાશાયી થતા માર્ગ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વિજયનગર વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે દોડી આવી હાલ ડાળીઓ કાપી તૂટી પડેલા ઝાડને રસ્તામાંથી દુર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ભારે જહેમત બાદ વન વિભાગના કર્મચારીઓએ રસ્તો ખુલ્લો કરીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કાર્યરત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!