અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના પાલ્લા ગામની શ્રી પાલ્લા યુવક મંડળ ધ્વારા સંચાલિત શ્રી આર.એચ.પટેલ વિદ્યાલયમાં મારી શાળા, હરિયાળી શાળા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાવામાં આવ્યો જેમાં સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા આર્યુવૈદિક ગુણધર્મોવાળા ફળ /ફુલ શાકભાજીવાળા વધારે ઓકિસજન વાળા એવા નાના મોટા વૃક્ષ રોપવામાં આવ્યાં શાળાના પર્યાવરણ શિક્ષણ માટે વિધાર્થીઓને પૂરતી સમજ મળે અને પ્રકૃતિ સંવર્ધન માટે વિધાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
શ્રી પાલ્લા યુવક મંડળ મંત્રી ભાનુપ્રસાદ જી. જોષી,સહમંત્રી શંકરભાઈ એમ. પટેલ, ઈન. આચાર્ય વસંતભાઈ એમ. ગોસ્વામી, સહ. ઈન સુરેશભાઈ ડી. પ્રજાપતી સહિત સ્ટાફ પરીવારે ઉત્સાહ ભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.





