18 C
Ahmedabad
Wednesday, January 22, 2025

અરવલ્લીઃ બાયડ નગરનોલાખેશ્વરી વિસ્તારમાં હજુ પણ ઢિંચણસમા પાણી ભરાયેલા જોવા મળ્યાઃરોગચાળો ફાટી નીકળવાનો ભય


તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરી હોવાનો રહીશોનો આક્ષેપ
ફાઈટર મશીન મુકી ભરાયેલા પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ
અહીં આવેલી આંગણવાડીમાં પણ બાળકો બેસી શક્તા નથીઃકાર્યકરના ઘેર બેસાડી ભણાવાય છે

Advertisement

બાયડ નગરમાં એક મહિના પહેલા ૪ થી ૫ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ચારેબાજુ બાયડના નિચાણવાળા વિસ્તારમાં સોસાયટી તેમજ ઝુપડીપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા
હતા. ત્યારે બાયડ નગર ખાતે આવેલી લાખેશ્વરી વિસ્તારમાં અંદાજીત ૧૦૦ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા હતા ત્યાર બાદ પાણી નો નિકાલ કરવા માટે બાયડ નગરપાલિકાએ ઈલેકટ્રીક મોટર તથા વાહન દ્વારા પાણી ખેંચવા માટે મોટર મુકવામાં આવી હતી. તેમ છતાં અમુક વિસ્તાર એક મહિના જેટલો સમય વિતવા છતાં હજુ પાણીનો નિકાલ થયો નથી લાખેશ્વરી વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે એક મહિનો વિતવા છતાં હજુ અમારા ઘરમાં ઘુંટણ સમા પાણી
ભરાયેલા છે.

Advertisement

બાયડ નગરપાલિકામાં આ વિસ્તારમાં ભરાયેલા પાણી વિશે રહિશોએ અગાઉ પણ રજુઆત કરી હતી તો પણ હજી સુધી કોઈ નિકાલ થયો નથી લાખેશ્વરી વિસ્તારમાં પાણી ભરાવા થી રોગચાળો ફાટી નિકળ્યો છે જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ઝાડા-ઉલટી કેંસો જોવા મળ્યા હતા લાખેશ્વરી વિસ્તારના નાગરીકો કહી રહ્યા છે કે આ પાણીનો નિકાલ ક્યારે
નિકાલ થશે… ???

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!