33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાતના ગેમ્બલરો લીંબ ગામના ફાર્મહાઉસમાં જુગાર રમવા પહોંચ્યા : આંબલીયારા પોલીસે 18...

ગુજરાતના ગેમ્બલરો લીંબ ગામના ફાર્મહાઉસમાં જુગાર રમવા પહોંચ્યા : આંબલીયારા પોલીસે 18 શકુનીઓ સાથે 19.35 લાખનો મુદ્દામાલ

0
177

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે જીલ્લામાં ધમધમતી અસામાજીક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી છે પોલીસતંત્રને દેશી-વિદેશી દારૂ, જુગારીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કોઈ પણ પ્રકારની સહ-શરમ રાખ્યા વગર શખ્ત કાર્યવાહી આદેશ આપી દીધા છે જીલ્લા પોલીસે બે દિવસમાં બે કાર માંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધા પછી આંબલીયારા પોલીસે લીંબ ગામમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કરી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજયભરમાંથી જુગાર રમવા આવેલા 18 શકુનિઓને દબોચી લીધા હતા ખેતરમાં જુગારધામ હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના બાપુ ચલાવતો હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે પોલીસ ચોપડે હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના બાપુ વોન્ટેડ હોવાથી ઝડપાય પછી જુગારધામનો મુખીયા કોણની ખબર પડેની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

આંબલીયારા પીએસઆઇ એસ.ડી.માળીને લીંબ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ ફાર્મ હાઉસમાં જુગારધામ રમવા શકુનિઓ પહોંચ્યા હોવાની બાતમી મળતા સરકારી જીપમાં રેડની શકુનિઓને થાય તે માટે ખાનગી વાહનમાં પોલીસ કાફલા સાથે પહોંચી ફાર્મહાઉસને કોર્ડન કરી 18 જુગારીઓને દબોચી લીધા હતા ત્રણ જુગારીઓ ફાર્મહાઉસની દીવાલ કૂદી ભાગવા જતા ઈજાગ્રસ્ત થયા હતા મહિલા PSI એમ.ડી.માળીના સિંઘમ સ્ટાઇલ કામગીરીને લીંબ ગામ સહીત સમગ્ર પંથકના જાગૃત નાગરિકોએ સરાહના કરી હતી

આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લીંબ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં શનિવારે જુગારીઓ જુગાર રમવા પહોંચતા પીએસઆઈ એમ.ડી.માળીને બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત ફાર્મહાઉસ પર ખાનગી વાહનોમાં પહોંચી ફાર્મહાઉસને કોર્ડન કરી ત્રાટકતા શકુનિઓમાં નાસભાગ મચી હતી ત્રણ શકુનિઓ દિવાલ કૂદી ભાગવા જતા તેમને પણ ઝડપી લેતા જુગારીના મોતિયા મરી ગયા હતા પોલીસે દાવ પર લગાવેલ અને અંગજડતી દરમિયાન મળી આવેલ 1.61 લાખ રૂપિયા, મોબાઇલ-13 કીં.રૂ.1.74 લાખ તેમજ ત્રણ કાર કીં.રૂ.16 લાખ મળી કુલ રૂ.19.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઇ ફરાર લીંબ ગામના હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાબાપુ તખતસિંહ ચૌહાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, 18 શકુનિઓના નામ વાંચો

1)પ્રજ્ઞેશ રમેશચંદ્ર વ્યાસ (રહે,ધર્મનાથ પ્રભુ સો.નરોડા-અમદાવાદ)

2) કનુસિંહ દિપસિંહ પરમાર (રહે,લીંબ ગામ,નવાનગર,તા-બાયડ)

૩) યગ્નેશ ગીરીશ સેવક (રહે,મ.નં.એ/૭,પ્રમુખ પેલેસ ફ્લેટ,ખોડીયાર માતાના મંદીર પાસે,નરોડા અમદાવાદ)

૪)શૈલ અતુલ ઠાકર (રહે,૧૫,ક્રીષ્ણાપાર્ક સોસા.દહેગામ, જી-ગાંધીનગર)

૫)ઇશાન અજય સેવક (રહે,મૂળ-બી/૫૫,પુલીન ટેનમેન્ટ,નરોડા અમદાવાદ હાલ રહે,-હરસોલ તા-તલોદ જી-સાબરકાંઠા)

(૬)હસમુખ રણછોડ પ્રજાપતી (રહે,મ.નં.૩૯૪,પ્રજાપતિ ની ચાલી,કુમાર શાળા પાસે, નરોડા અમદાવાદ)

(૭)ધર્મેશ ગોવિંદ પ્રજાપતી (રહે,બી.૨૦, ચંદ્રપ્રભુ સોસા.તલોદ, જી-સાબરકાંઠા)

(૮)વિજય કનુ પટેલ (રહે,બ.નં.સી/૩૧,પુલીન વિભાગ-૪,પાયલનગર ની બાજુમાં,નરોડા અમદાવાદ)

(૯)લક્ષ્મણસિંહ કાંતીજી રાઠોડ (રહે,લવાડ ગામ,તા-દહેગામ જી-ગાંધીનગર)

૧૦)રાહુલસિંહ જવાનસિંહ ઝાલા (રહે,બારોટના મોસમપુર,તા-દહેગામ જી-ગાંધીનગર)

૧૧)વિપુલ અમ્રતલાલ શાહ (રહે,સી/૧૦૭,શાંતીધામ એપાર્ટમેન્ટ,ડી કેબીન, સાબરમતી અમદાવાદ)

(૧૨)મુકેશ ભીખા જોશી (રહે,જુના ઉંટરડા ગામ, તા-બાયડ જી-અરવલ્લી)

(૧૩) ભરત જીવા નીનામા (રહે,મૂળ-પંચાલ ગામ,તા-મેધરજ જી-અરવલ્લી)

(૧૪)ડાહ્યા સરદાર ખરાડી (રહે.,મોટી પંડુલી તા-મેઘરજ જી-અરવલ્લી)

(૧૫)મુકેશ બાબુ શાહ (રહે,આંતરશાહનો મહોલ્લો,દહેગામ તા-દહેગામ જી-ગાંધીનગર)

(૧૬)મનહર બચુ બારોટ (રહે,મોસમપુર,તા-દહેગામ જી-ગાંધીનગર)

(૧૭)વીપુલસિંહ ભીખુસિંહ રાઠોડ (રહે- ૭૬ પાશ્વનાથ, શોપીંગ સેન્ટર નરોડા અમદાવાદ)

(૧૮)ધવલ પ્રવીણચન્દ્ર શાહ (રહે-૪ વલ્લભકુંજ સોસાયટી તલોદ જી-સાબરકાંઠા)

(૧૯)*વોન્ટેડ*-હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાબાપુ તખતસિંહ ચૌહાણ (રહે.લીબ તા.બાયડ જી-અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!