29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક, દીપડાને પાંજરે પુરવામાં વનતંત્ર...

અરવલ્લી : માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક, દીપડાને પાંજરે પુરવામાં વનતંત્ર નિષ્ફળ રહેતા ખેડૂતોની CMને રજુઆત કરશે

0
233

અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અને જંગલ વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો થવાની સાથે માનવ વસ્તીમાં પ્રવેશી આતંક મચાવી પશુઓનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે માલપુર તાલુકાના વાંકાનેડા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવી દીધો છે છેલ્લા ટૂંક સમયમાં 15 થી વધુ પશુઓનું મારણ કરતા પશુપાલકો ચિંતિત બન્યા છે હાલ ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે દીપડાના ભયથી ખેડૂતો ખેતર પણ નધણિયાત મુકવા મજબુર બન્યા છે વનવિભાગને દીપડાને પાંજરે પુરવા માટે વારંવાર રજુઆત કરવા છતાં તંત્રે આંખ આડે કાન કરતા ખેડૂતો અને પશુપાલકો શનિવારે માલપુરના મહેમાન બનનાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે

માલપુર તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે વાંકાનેડામાં ઓબા ગોટી વિસ્તારમાં દીપડાએ વધુ બે બકરીઓનું મારણ કરતા પશુપાલકો સહીત સમગ્ર પંથકની માનવ વસ્તી દીપડાના ભયથી થર થર કાંપી રહી છે વાંકાનેડા ગામ નજીક જંગલ વિસ્તાર હોવાથી દીપડો મસ્ત બનીને ગમે ત્યારે ત્રાટકતો હોવાની બુમરાણ ઉઠી છે આ પંથકમાંથી અત્યાર સુધી દીપડા એ 13 બકરા અને બે પાડીઓનું મારણ કર્યું હોવા છતાં માલપુર નું વન વિભાગ ચુપચાપ તમાશો જોઈ રહ્યું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે વન વિભાગના અધિકારીઓ સમક્ષ પાંજરા મુકવા અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં વનવિભાગ કોઈ જ પગલાં ભરતું ન હોવાની બુમ ઉઠી છે રાત્રીના સમયે ખેતર માં ખેતીકામ માટે જવુ ખેડૂતો માટે જોખમકારક બન્યું હોવાથી ખેડૂતો લાચાર બનતા આવતીકાલે માલપુર આવનારા મુખ્યમંત્રી સમક્ષ આ પંથકના અગ્રણીઓ તેમજ પશુપાલકો રજુઆત પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!