31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને વાઘોડિયાના સરપંચોએ કહ્યું…જો TDO કાજલ આંબલીયાની બદલી બંધ નહીં રહે તો ચૂંટણીમાં નુકસાનની ચીમકી, જુઓ Video


તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયાની સ્વચ્છ છબીથી ફરજ દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા મહિના અગાઉ વાઘોડીયા તાલુકા વિકાસ અધિકારી તરીકે સિંઘમ અધિકારી તરીકે જાણીતા કાજલબેન આંબલીયાની નિમણુંક થતાની સાથે તાલુકાનો વિકાસ ઝડપથી થાય તે દિશામાં કામગીરી શરુ કરવાની સાથે ગેરકાયદેસર દબાણકારો પર બુલડોઝર ફેરવી દેવાની સાથે કોરોનાની ગ્રાન્ટમાંથી કેટલાક ભ્રષ્ટ તલાટીઓએ લાખ્ખો રૂપિયાનું કૌભાંડ બહાર લાવતા ભૂમાફિયાઓ અને કૌભાંડીઓના પેટમાં તેલ રેડાતા તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયા રહે તો અનેક કૌભાંડીઓના મૂળિયા બહાર આવી જવાનો ભય પેદા થતા સરકાર અને વહીવટી તંત્ર પર દબાણ લાવી તેમની બદલી ગાંધીનગર ખાતે કરી દેતા વાઘોડિયાના સરપંચો અને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ટીડીઓની બદલી રોકવા સરપંચોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળી બદલી રોકવા ઉગ્ર રજુઆત કરી હતી.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરાઈ હતી, જુઓ શું કહ્યું

વાઘોડિયા તાલુકાના સરપંચોએ ગાંધીનગર પહોંચી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળી રજુઆત કારી હતી કે નિષ્ઠાવાન અને પારદર્શક વહીવટ માટે જાણીતા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાની બદ્લી બંધ નહિ રાખવામાં આવેતો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન જવાની આડકતરી રીતે ચીમકી ઉચ્ચારી હતી ભાજપને વાઘોડિયા તાલુકાના ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના લીધે ભારે નુકશાન થશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું

કાજલ આંબલિયાને લઇને સ્થાનિક લોકો અને સરપંચોમાં એક લાગણી, કામગીરીથી લોકો ખુશ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!