28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજ પંચાલ રોડ પર આવેલ ગટરનું પાણી રસ્તા પર આવી...

અરવલ્લી : મેઘરજ પંચાલ રોડ પર આવેલ ગટરનું પાણી રસ્તા પર આવી જતા રહીશો તેમજ સ્થાનિકો પરેશાન

0
241

ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે ગટર લાઈન બનાવવામાં આવે છે પરંતુ કેટલીક વાર ગટર ની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે ગટરનું પાણી રસ્તા પર આવી જતું હોય છે અને ગંદકી તેમજ રોગચારા ની દહેશત જોવા મળે છે

મેઘરજ ખાતે પંચાલ રોડ પર આવેલ ગટર લાઈનની સાફ સફાઈ ન થતી હોવાથી ગટરનું પાણી રસ્તા પર આવી જતું હોય છે જેમાં ગંદા પાણીનો નિકાલ કરવા અને અટકાવવા ગ્રામ પંચાયત ને ઘણી વાર રજુઆત કરવામાં આવી છે છતાં હજુ એનો નિકાલ થતો નથી ત્યારે ફરી મેઘરજ પંચાલ રોડ પર આવેલ મેડિકલ ચલાવનાર અરજદારે ગટરના ગંદા પાણી નો નિકાલ કરવા અરજી કરી છે અને આક્ષેપ કર્યા હતા કે વારમવાર રજુઆત કરવા છતાં હજુ સુધી ગટર લાઈન સાફ કરવામાં આવતી નથી અને ગંદા પાણી રસ્તા પર ફરી વરતા રોગચારો અને રહીશો પરેશાન થઇ રહ્યા છે તો ગંદા પાણી નો ઝડપથી યોગ્ય નિકાલ કરવામાં તેવી હાલ તો માંગ સેવાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!