શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા પાછલા બે દિવસથી ગરમીના પારો વધવાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાથી જાણે અગનગોળા વરસી રહ્યા હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.તંત્ર દ્વારા પણ ગરમીમાં કામ સિવાય બહાર નહી નીકળવાના સુચનો આપવામા આવ્યા છે. અને ગરમીથી બચવા માટે શેરડી રસ સહીતના ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે.
પંચમહાલ જીલ્લામા ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. હાલમા લગ્નગાળાની સીઝન પણ ચાલી રહી છે. ગરમીના કારણે તંત્ર દ્વારા લોકોને સુચનો કરવામા આવ્યા છે. ઘરમાંથી કામ વગર બહાર ન નીકળવાના સુચનો પણ કરવામા આવ્યા છે. હાલમા ઠંડા પીણા,શેરડી રસ,કેરી રસનો આસરો લઈ રહ્યા છે. ગરમીમા કારણે બપોરના સમયે પણ રસ્તાઓ બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે લુ લાગવાના કેસો પણ જોવા મળી રહ્યા છે. દવાખાનામા પણ હાલ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે.