28 C
Ahmedabad
Monday, March 24, 2025

લો બોલો મંત્રી પરિવારનો દબદબો ધરાવતા ગામનો વિકાસ નથી : જીતપુર ગ્રામજનોનો પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર


રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ ગામ વિકાસથી વંચિત રહેતા ગ્રામજનોમાં આક્રોશ 

Advertisement


જીતપુર ગ્રામ પંચયાતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રીના પુત્ર અને પુત્રવધુ સરપંચ પદ પર હતા  

Advertisement

મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્યની ચૂંટણી ટાણે ઠાલા વચનો આપ્યા હોવાનો આક્ષેપ        

Advertisement

                                                    જીતપુર ગામના ગ્રામજનોને કહ્યું PM નરેન્દ્ર મોદી કે ભાજપ સામે કોઇ વિરોધ નથી ફક્ત મંત્રી ભીખુસિંહ પરમારનો વિરોધ છે    

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિશ્વ મહાસત્તા બનાવવા પ્રયત્નશીલ છે ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે બીજીબાજુ અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુ વિકાસની પાપા પગલી માંડી રહ્યો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે મોડાસા ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતન ચારણવાડા નજીક આવેલ જીતપુર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સુત્રોચ્ચાર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જીતપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને પુત્રવધુ સરપંચ પદ પર હોવા છતાં ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતો લોકોમાં વધુ રોષ ફેલાયો છે

Advertisement

મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ જીતપુર ગામમાં વિકાસના નામે દીવા તળે અંધારું જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે મોડાસા તાલુકાના જીતપુર ગામમાં રોડ,રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા મંત્રી ભીખુસીંહ પરમાર અને સરપંચ પદ પર રહેલા તેમના પુત્ર અને પુત્રવધૂએ ચારણવાડાના વિકાસને વેગ આપી જીતપુર ગામ સાથે વિકાસમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાના અનેક આક્ષેપ સાથે ગામના ચોકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જીતપુર ગ્રામ પંચયાત અલગ કરવાનું વચન આપ્યા બાદ જીતપુર ગ્રામ પંચયાત અલગ નહીં કરતા આખરે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જીતપુર ગામના ગ્રામજનોએ ગામની પ્રાથમિક સુવિધાઓ અને ગ્રામ પંચાયત અલગ કરવાની બાહેંધરી નહીં અપાય તો મતદાનના દિવસે સમગ્ર ગામ મતદાન થી દૂર રહેશેનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતું

Advertisement

 મંત્રી ભીખુસિંહ પરમારના વતનને અડીને આવેલ અને તેમના પુત્ર અને પુત્રવધૂ સરપંચ પદે હોય તે ગામ વિકાસથી વંચિત રહ્યું હોય તો પછી જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગામોમાં વિકાસની સ્થિતિ નો સરકારે અને તંત્રએ તાગ મેળવવો રહ્યોની ચર્ચાએ જોર પકડ્યું છે 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!