સાબરકાંઠા અરવલ્લી જિલ્લા મીઠાઈ ફરસાણ એસોસિયેશન ની બેઠક મળી, જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ એ. પટેલ ખોડીયાર સ્વીટ ખેડબ્રહ્મા ની નિમણૂક કરાઈ છે.
તા.29.03.22 ના રોજ સ્વામી નારાયણ મંદિર હિંમત નગર ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા મીઠાઈ ફરસાણ એસોસિયેશન ની બેઠક મળી હતી, જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ એ પટેલ ખોડીયાર સ્વીટ ખેડબ્રહ્મા તથા મંત્રી તરીકે મયુરભાઈ બી શેઠ સૌરાષ્ટ્ર ફરસાણ હિંમત નગર ની નિમણુક કરવામાં આવી હતી. બેઠક માં જિલ્લા ના 155 જેટલા વેપારી મિત્રો હાજર રહ્યા હતા. બેઠક માં વેપારી મિત્રોને ઓફ લાઈન FOSTAC ની તાલીમ આપવામાં આવી હતી.આ બેઠકમાં ફુડ સેફ્ટી ઓફિસર પી. એસ.પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા અને વેપારી મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું.