38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાત : બદલીનો ધમધમાટ યથાવત રાજ્યના 10 IAS અધિકારીની બદલી, જાણો કોને...

ગુજરાત : બદલીનો ધમધમાટ યથાવત રાજ્યના 10 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

0
105

ગુજરાતમાં વરસાદી મૌસમની સાથે સાથે IAS અને IPS અધિકારીઓની બદલી અને બઢતીની મૌસમ ચાલી રહી છે ગત સપ્તાહે IPS અને IAS અધિકારીઓની બદલીનો રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચીપ્યો હતો જેમાં જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં 10 આઇએએસ (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય છે.

વાંચો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ….!!!

1) બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે.

2) કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

3) એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

4) એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

5) એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

6) રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

7)સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

8) શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

9) એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

10) લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!