38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : રાષ્ટ્રભક્તિનું અભિયાન, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકા મથક...

અરવલ્લી : રાષ્ટ્રભક્તિનું અભિયાન, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકા મથક ખાતે તિરંગા યાત્રા યોજાઈ

0
103

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ગુજરાત રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકોમાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરી, પી.આઈ એચ.પી.ગરાસીયા, ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીલાબેન મડીયા, જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પુર્વ સરપંચ મનોજભાઈ પટેલ, સામાજીક કાર્યકર કિર્તીભાઈ બારોટ,  રામઅવતાર શર્મા, વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો, યુવાનો સહિત વેપારીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા થકી અરવલ્લી જિલ્લામાં આઝાદીની ઉજવણીને યાદગાર બનાવી પ્રજાજનોમાં દેશ પ્રેમની ભાવના ઉજાગર થાય અને જિલ્લામાં દેશપ્રેમનું વાતાવરણ સર્જાય તે માટે આ તિરંગા યાત્રામાં જનતા સ્વયંભુ જોડાઈ રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!