32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ધર્મ / જ્યોતિષ અરવલ્લી : ભાદરવી પૂનમ ને લઈ માલપુર ના રણછોડજી મંદિરે સતત 21...

અરવલ્લી : ભાદરવી પૂનમ ને લઈ માલપુર ના રણછોડજી મંદિરે સતત 21 માં વર્ષે ધ્વજ્જા રોહણ કરાયું

0
117

ભાદરવી પૂનમ એટલે આમ તો જગદંબા માં નો પ્રગટ્યોત્સવ સાથે સાથે જેટલા પણ કૃષ્ણ સ્વરૂપ મંદિરો છે ત્યાં પણ દર્શન પૂજન નું અનેરું મહત્વ હોય છે ત્યારે માલપુર ના નનાવાડા પાસે આવેલ રણછોડજી મંદિરે એક પરિવાર દ્વારા સતત 21 માં વર્ષે ધ્વજારોહણ કરાયુ

માલપુર ના નાનાવાડા પાસે સ્વયંભૂ અને પૌરાણિક રણછોડજી મંદિર આવેલું છે આ રણછોડ રાય ના સનીધ્યે દર પૂર્ણિમા ના દિવસે શ્રદ્ધાળુઓ ઠાકોરજી ના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ ભાદરવી પૂર્ણિમા ના દિવસે છેલ્લા 20 વર્ષ થી માલપુર નો સ્વ કંચનલાલ પંડ્યા ના પરિવારજનો દ્વારા ધ્વજારોહણ કરાય છે અને આ ભાદરવી એ 21 માં વર્ષે પણ રણછોડજી ના મંદિરે તેમના નમન કુમાર શૈલેષ ભાઈ પંડ્યા દ્વારા ધ્વજારોહણ કરાયું હતું ,દર ભાદરવી પૂનમે પંડ્યા પરિવાર રણછોડજી ને ધજા ચડાવી ને ધન્યતા અનુભવે છે અને ધર્મ ની ધજા સદાયે લહેરાતી રહે અને વિશ્વ નું કલ્યાણ થાય એ માટે પંડ્યા પરિવારે પ્રાર્થના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!