37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines મૃત્યુના સાચા આંકડા ક્યારે જાહેર થશે?: નાસભાગ અંગે કોંગ્રેસના આકરા સવાલ, TMCએ...

મૃત્યુના સાચા આંકડા ક્યારે જાહેર થશે?: નાસભાગ અંગે કોંગ્રેસના આકરા સવાલ, TMCએ રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું

0
143

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીની રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત નીજપ્યા. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પાર્ટી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આ મામલે કેન્દ્ર સરકાર પર ગેરવહીવટ અને બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકારને અનેક સવાલો પૂછ્યાં. જેમાં નાસભાગમાં થયેલી મૃત્યોના આંકડા જાહેર કરવાને લઈને સવાલ કરાયો. જ્યારે TMCએ રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું.

કોંગ્રેસ મહાસચિવે શું કહ્યું?
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને લઈને દુઃખ વ્યક્ત કર્યુ અને જણાવ્યું કે, ‘આ દુર્ઘટના ચોંકાવનારી અને ઘણી દુઃખદ છે. જે તસવીરો સામે આવી છે, ઘણી ડરાવી દેનારી છે. હું નિર્દોષ પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ દેશની રાજધાનીમાં આવી આપત્તિની ઘટના દર્શાવે છે કે, સરકાર ફક્ત જનસંપર્ક કરવામાં સક્ષમ છે. તે વાસ્તવિક વ્યવસ્થાપનમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!