હાલોલ, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બાંધકામ માટે લઈ જવામાં આવતી ગુડસ રોપ વે તુટી જવાથી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ઘટના ની જાણ થતા તંત્ર તેમજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો છે. પાવાગઢ પાસે ચાલતા કામોમા માલસામાનના ઉપયોગ માટે આ ગુડસ રોપ વે નો ઉપયોગ થાય છે.

પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે કામકાજ માટે -બનાવામા આવેલી માલવાહક ગુડસ રોપ વે તુટી પડવાની ઘટના બની હતી ગુડસ વેના રોપવે નો તાર તુટતા આ ઘટના બની હતી. બનાવને લઈને તંત્ર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટના કામકાજ અને અન્ય વિશેષ મહેમાનો માટે થતો હતો. મૃતદેહોને હાલમાં હોસ્પિટલ ખાતે લાવામા આવ્યા છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો છે.






