અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં અનેકવિધ ગ્રામિણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વન્ય હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આટાં-ફેરા મારતા પ્રજાજનોમાં અત્ર-તત્ર-સર્વત્ર ભારે ફફડાટ ફેલાયો છે.વેજપુર ગામમાં દિપડા એ ખોરાકની શોધમાં આતંક મચાવતા ખેડુતો અને પશુ-પાલકો સહિત રાહદારીઓ ભયભીત બન્યા છે.
ભિલોડા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ અમૃતભાઈ બરંડા સહિત ખેડુતોએ જણાવ્યું કે, વેજપુર ગામમાં ખેડુત, પશુ-પાલક નિનામા દિલીપકુમાર નાનજીભાઈના ઘરે ખુંખાર દિપડાએ બકરીનો શિકાર કર્યો છે.વેજપુર ગામમાં આશરે ૧૧ બકરાનું મારણ ખુંખાર દિપડા એ કરતા ખેડુતો, પશુ-પાલકો સહિત શ્રમજીવીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.ભિલોડા વન વિભાગ ધ્વારા પાંજરૂ મુકીને ખુંખાર દિપડાને સત્વરે ઝડપી લેવા બુલંદ બળવત્તર માંગ ઉદભવી છે.

