31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : શામળાજી મહોત્સવ-2026 મહોત્સવમાં ઓસમાણ મીર અને કિંજલ દવે સૂરો રેલાવશે તંત્રની તૈયારીઓ


શામળાજી મહોત્સવ ૮-૯ જાન્યુઆરીએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૬૭.૮૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે

શામળાજી મહોત્સવમાં ઓસમાણ મીર અને કિંજલ દવે સૂરો રેલાવશે ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળશે

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભવ્ય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના અદ્ભુત સમન્વયનો સાક્ષી બનશે, જેમાં હજારો ભાવિક ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડશે.

શામળાજી મંદિરના પ્રાંગણમાં યોજાનાર આ બે દિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગારંગ મેળી જોવા મળશે. ખાસ કરીને, બંને દિવસે પ્રખ્યાત ગાયકો ઓસમાણ મીર અને કિંજલ દવે તેમના ભક્તિભાવ અને લોકપ્રિય ગીતોથી વાતાવરણને ધૂમ મચાવશે, જેનાથી ભક્તોને આધ્યાત્મિક અને મનોરંજનનો અનોખો અનુભવ થશે.

મહોત્સવના બીજા દિવસે એટલે કે ૯ જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૬૭.૮૫ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો આદિવાસી બહુલ અરવલ્લી જિલ્લાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચાડવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે.શામળાજી મહોત્સવ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો એક મહત્વપૂર્ણ મહોત્સવ છે, જેમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરીને આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. આ વર્ષનો મહોત્સવ વધુ ભવ્ય અને યાદગાર બનાવવા જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લીની જાહેર જનતાને આવકારે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!