ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતે રાજભવન પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ રાજભવન, ગાંધીનગર આવી પહોંચ્યા હતા. રાજભવન ખાતે પહોંચેલા અમિત શાહે રાજ્યપાલ સાથે વાર્તાલાપ કર્યો હતો.
