દરેક નાં જીવનમાં કંઇક ને કંઇક પડકારો આવતા રહેતા હોય છે અને આપણે મન માં એક વાર તો વિચાર કરીએ જ છીએ કે કેમ ભગવાન મારા જ જીવનમાં આટલા બધા દુઃખ કેમ મને જ આટલી બધી મુશ્કેલી આવે છે પરતું મિત્રો જીવનમાં આવતા પડકારો એ આપણા માટે ખરાબ નહિ પરતું ખુબજ સરસ છે
જેમ UPSC ની exam ઘણા પરિશ્રમ અને અથાક મહેનત પછી પાસ થાય છે તેમ આ જીવન રૂપી પરીક્ષા પણ આવા નાના મોટા પડકારો ને પાર કર્યા પછી જ અદભૂત પરિણામ આપે છે જીવન ક્યારેય fixed boundry વાળું નાં હોવું જોઈએ એટલે કે આપણે એક fixed mind set માં બંધાઈ જતા હોઈએ છીએ એટલે આ પડકારો જે આપને બધાને એક fixed boundery ની બહાર લઈ જાય છે તે ખરાબ લાગે છે પરતું જીવનમાં આવતા આ બધા challenges આપના મન ને એક નવી શક્તિ તેમજ સાહસતા પ્રદાન કરે છે પરતું આપણે દરેક વસ્તુ પેહલા નકારત્મક વિચારીએ છીએ એટલે આ બધા પડકારો ખરાબ લાગે છે પરતું ખરેખર જીવનમાં આવતા દરેક પડકારો આપણને કાઈક શીખવાડતા હોઈ છે.