33 C
Ahmedabad
Saturday, May 18, 2024

જાણો કયા રાજ્યમાં અક્ષય કુમાર ની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેકસ ફ્રી થઇ…


દિલ્હીના છેલ્લા હિન્દુ શાસક સમ્રાટ પૃથ્વીરાજ ના જીવન પર આધારિત અક્ષય કુમાર ની ફિલ્મને ટેક્સ ફ્રી કરવા નો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.

Advertisement

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આ અંગે જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, ભારત ના બહાદુર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ના જીવન પર આધારિત ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ત્રણ દિવસ અગાઉ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ માં આ ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર થઈ હતી. અગાઉ સરકાર દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી જાહેર કરાઈ હતી. જેમાં કાશ્મીરી હિન્દુઓ પર થયેલા અત્યાચારો અને તેમને પલાયન માટે વિવશ કરનારા કારણોને દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે માનુષી છિલ્લરનો લીડ રોલ છે. સમ્રાટ પૃથ્વીરાજના મિત્ર ચંદ બરદાયીનો રોલ સોનુ સૂદે કર્યો છે અને સંજય દત્ત પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ચાણક્ય જેવી યાદગાર ટીવી સિરિયલ બનાવનારા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને ડાયરેક્શન કર્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!