33 C
Ahmedabad
Friday, March 29, 2024

પોઝિટિવ રીસ્પોન્સ : આપણે આપણા સંતાનોને બેકારીની લાઇનમાં તો ઊભા નથી રાખતાને?


Advertisement

 સંતોષ દેવકર

Advertisement

ઘણી બધી વેબ સાઇટ હોવા છતાં જોઇએ તેવી માહિતીનો અભાવ વર્તાય છે

Advertisement

 બોર્ડ રિઝલ્ટ આવતા,વાલીઓની મૂંઝવણ વધી જાય છે કઈ લાઇન પસંદ કરવી ?

Advertisement

 

Advertisement

‘લો,રિઝલ્ટ આવી ગયુ.’

Advertisement

‘હવે પ્રશ્ન એ છે કે કઇ લાઇન લેવી?’

Advertisement

‘સિમ્પલ, જેમાં રસ પડતો હોય તે’

Advertisement

‘હા, તમારી વાત સાચી; પણ લાઇન વિશેની જાણકારી આપે કોણ?’

Advertisement

જે ઘરમાં ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું હોય તે ઘરના સભ્યોની મનોદશા એકસરખી હોય છે. વર્ષોથી પરીક્ષા લેવાય છે, વર્ષોથી પરિણામ જાહેર થાય છે અને વર્ષોથી મહિતી ખાતુ રાબેતામુજબ એક પુસ્તિકા બહાર પાડી દે છે. છતા વાલીની સમસ્યાતો હતી તેવીને તેવી જ. ઉલટાની સમસ્યા વધુ વકરી છે. એજ દોડાદોડી,એજ અજમ્પો અને એજ મૂંઝવણ.

Advertisement

વિદ્યાર્થીનો પ્રશ્ન તો ઊભો જ કે કઇ લાઇન લેવી? કયા ક્ષેત્રમાં આગળ વધવું? શું આપણે ત્યાં પ્રોપર  કેરિયર ગાઇડન્સનો સદંતર અભાવ વર્તાય છે? કેરિયર અંગે માર્ગદર્શન આપતી સંસ્થાઓ કેટલી?

Advertisement

પોતે ઓફર કરેલા કોર્સ જ શ્રેષ્ઠ છે એ સાબિત કરવા અને એડમિશન મેળવવા દરેક કોલેજ મરણિયા પ્રયાસ કરતી રહે છે. દોડાદોડી કરતા અને મૂંઝવણ અનુભવતા માબાપનું દૃશ્ય પરંપરાગત કોઇપણ જાતના ફેરફાર વગર પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. વિદ્યાર્થીઓ ઘણેભાગે મિત્રો કે આડોશી પાડોશીના પગલે ચાલવાનું પસંદ કરતા હોય છે. નક્કર વિચારણા તેમજ સમજી વિચારીને લાઇન પસંદ કરવાને બદલે દેખાદેખીથી લેવાતા નિર્ણયોની સંખ્યા વધુ હોય છે. એમાં વિદ્યાર્થીના રસ ,રુચિ ,ગમા અણગમાનો છેદ ઉડે છે.પરિણામે બેકારીની સમસ્યા વકરે છે. વિદ્યાર્થીની ક્ષેત્ર પસંદગી અને બેકારીને સીધો સંબંધ છે.

Advertisement

વ્યાવસાયિક માર્ગદર્શનનો અઠવાડિક તાસ ગુજરાતની તમામ શાળાઓમાં ગોઠવાવો જોઇએ

Advertisement

ભવિષ્યમાં કઈ નોકરી અને કયો વ્યવસાય એ બાબતે પૂરતુ માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળવું જોઈએ. બાર ધોરણ સુધીમા તો વિદ્યાર્થી પોતાના કેરિયર માટે નિશ્ચિત અને આત્મવિશ્વાસુ બની જવો જોઈએ.

Advertisement

કારકિર્દી ઘડતર પ્રક્રિયામા ખોટી ઉતાવળ ,ઓછી જાણકારી તેમજ એકજ પાસા તરફનુ આકર્ષણ જેવી બાબતોથી નુકસાન થઇ શકે છે.પસંદ કરેલ ક્ષેત્ર પર નિર્ણય લેતા પહેલા વિદ્યાર્થીઓ માતા પિતાના સ્વપ્નોને પ્રાથમિકતા આપવા અંગે માનસિક  તાણ અનુભવતા હોય છે. સમગ્ર જીવન અસર પામતુ હોય  ત્યારે તમામ પાસા ચકાસાયેલા હોય તે આવશ્યક છે. આવડત,રસ,રુચિ,શોખ,તેમજ કુટુંબની આર્થિક સ્થિતિ ધ્યાનમા રાખીને કારકિર્દીનુ ક્ષેત્ર પસંદ કરવુ પડે.

Advertisement

હવે તો સર્ચિંગ યુગ ચાલે છે. જેના વિશે જાણવું હોય જ્યા અભ્યાસ કરવાની ઇચ્છા હોય તે સંસ્થાની ઉપલબ્ધ બેઠકો, સ્ટાફ, અભ્યાસક્રમ,વિડીઓ અને લોકેશન સહિતની તમામ માહિતી એક જ ક્લિકમાં મળી શકે છે .

Advertisement

કૌશલ અને શિક્ષણ બે અલગ બાબત છે એમ આજના શિક્ષણ પરથી કહી શકાય. શિક્ષણ અને કૌશલને જીવન સાથે જોડવા માટે ગાંધીજી ખુબ મથ્યા. ગાંધી કહેતા કે શાળાંત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી કોઇપણ એક કૌશલમા પારંગત હોવો ઘટે. તેમનો આ આગ્રહ સાચો અને ઉપયોગી હતો. બેકારીની સમસ્યા હલ કરનારો હતો. ‘પાયાની કેળવણી’ પુસ્તકમાં ગાંધીજી લખે છે કે વિદ્યાર્થી નિશાળ છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવવાની શક્તિ આવેલી હોવી જોઈએ. આમ કરીને તમે કેળવણી આપવાની સાથે સાથે બેકારીના મૂળ પર ઘા કરો છો. તમારે વિદ્યાર્થીઓને એક યા બીજા ધંધાની તાલીમ આપવી જ રહી. પોઝિટિવ રિસ્પોંસ –ડો.સંતોષ દેવકર

Advertisement

મિસરી

Advertisement

ચહેરા પાછળ ચહેરો છે તે ધારવાનું શીખું છું,

Advertisement

મારા મનને ભીતરથી નિખારવાનું શીખું છું.

Advertisement

વળગણની બુકાની તારી છોડે કે ના છોડે તું,

Advertisement

એવા બંધન તોડીને વિચારવાનું શીખું છું.

Advertisement

                                         નૈષધ મકવાણા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!