37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી : શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સેંસર સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સેંસર સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો

0
119

અરવલ્લી ફિઝિકલ હેન્ડી કેપ સંસ્થા, બુટાલ, જીલ્લા સમાજ સુરક્ષા કચેરી અરવલ્લી, સહાય ચેરીટેબલ ટ્રસ્ટ બાયડ, અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પાટણ, ઓ.એન.જી.સી.સી. આર.એસ અંધજન મંડળ વસ્ત્રાપુર ના સૈન્ય થી પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓ ને ખાસ સેંસર સ્ટીક વિતરણ કરવાનો કાર્યક્રમ શામળાજી ખાતે આયોજિત કરાયો હતો. શામળાજી વિષ્ણુ મંદિર પરિસરમાં આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને સહાય આપવામાં આવી હતી.

શામળાજી વિષ્ણુ મંદિર શામળાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં મંદિરના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાબી,  વિષ્ણુ મંદિર ના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પટેલ, મહેશ ભાઇ પટેલ, સહકારી આગેવાન અરવલ્લી સહાય ચેરીટેબલ ટ્રસ્ટ બાયડ પ્રમુખ હિરેનભાઇ આર શાહ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી. બી. ચૌધરી, સહિત તમામ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અરવલ્લી જિલ્લા હેન્ડિકેપ પ્રમુખ વિનોદચંદ્ર પટેલ દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!