ભયમુક્ત વાતાવરણમાં વિધ્યાર્થીઓ પરીક્ષા આપે અને કારકીર્દીના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ: જિલ્લા શિક્ષણા અધિકારી
Advertisement
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે 33973 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ 10માં 19776 વિધાર્થીઓ, ધોરણ -12 (સામાન્ય પ્રવાહ ) 12213 વિદ્યાર્થીઓ,ધોરણ -12(વિજ્ઞાન પ્રવાહ ) 1984 વિદ્યાર્થીઓ સહિત એકંદરે કુલ 33973 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં 26 એસ. એસ. સી ના કેન્દ્રો, 13 એચ. એસ. સી (સામાન્ય પ્રવાહ )ના કેન્દ્રો,અને એચ. એસ. સી (વિજ્ઞાન પ્રવાહ )ના 2 કેન્દ્રો એમ કુલ 41 કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા યોજાશે.
આ અનુસંધાને જિલ્લા શિક્ષણાઅધિકારીશ્રી એ જણાવ્યું, શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણા અધિકારી શ્રી એ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરિક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન અને સૂચનો આપ્યા. આ સાથે જ પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે અને વિધ્યાર્થીઓ કારકીર્દીના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ આપી.